મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશશોત્સવ યોજાયો મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSC ની તૈયારી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃતિ


SHARE















મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSC ની તૈયારી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃતિ

મોરબી જિલ્લાના વતની હોય અને ધોરણ-૧૨ માં ૭૦ ટકાથી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSC ની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય અને UPSC ની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.પસંદ થયેલ વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.૧૫૦૦૦ અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું વિચારણા હેઠળ છે.આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ પ્રેસ નોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૫ માં રૂમ નં.૧૪૬, શિક્ષણ શાખા, પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ,મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે.અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી,મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.તેમ જિલ્લા વિકાસ અધિકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News