મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી લોક ડાયરો યોજાયો


SHARE





મોરબીના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી લોક ડાયરો યોજાયો

મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક ડાયરા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા પરંપરાગત લોકકલાને જાળવી રાખવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવિધ લોકકલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે. ત્યારે મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ અને દેવકૃપા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ મોરબીના સંયુક્ત ઉપક્રમે લોક ડાયરો યોજાયો હતો.

આ ડાયરાના સંપૂર્ણ આયોજક તરીકે કૃપાબેન નરેન્દ્રભાઈ વાઘેલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. લોકસાહિત્યકાર સુધીરભાઈ બારોટ પાટણ, કનુભાઈ બારોટ (ભજનિક ઊંઝા), હરેશ નાયક પાટણ (ભજનિક/કી - બોર્ડ પ્લેયર), જયંતીભાઈ નાયક પાટણ (ભજનિક/તબલા વાદક), જયંતીભાઈ બારોટ અમદાવાદ (ભજનિક), વિધાન બારોટ (તબલા વાદક /મંજીરા વાદક ), મોહનભાઈ નાનજીભાઈ જાદવ (મંજીરા વાદક ), નાનજીભાઈ બારોટ મોરબી ડાયરામાં મહત્ત્વની સેવા આપી હતી.

આ ડાયરાના કાર્યક્રમમાં સરપંચ ધનીબેન રામજીભાઈ પરમાર, ઉપસરપંચ અમરબેન હિંમતભાઈ પરમાર, સ્થાનિક અગ્રણી સર્વ ગોવિંદભાઈ ગેલાભાઈ પરમાર (રીટાયડ પી એસ આઈ), દાનાભાઈ ગેલાભાઇ પરમાર, વશરામભાઇ ગેલાભાઇ પરમાર, મોહનભાઈ નાનજીભાઈ જાદવ, ભીમજીભાઈ દેવજીભાઈ પરમાર, રામજીભાઈ જીવાભાઈ પરમાર, ભવાનભાઈ દેવજીભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News