મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું


SHARE











મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ આચાર્ય કે જેઓએ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી તેઓની સ્મૃતિ કાયમ રહે તે માટે શાળાના પટાંગણમાં પૂર્વ આચાર્ય મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાની પ્રતિમા બનાવી તેનું અનાવરણ કર્યું હતું તેઓએ વર્ષ 1957 થી 1975 દરમિયાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. અને બગથળા ગામને શિક્ષિત બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. આટલું જ નહીં  તેમણે રાજ્યપાલના હસ્તે આદર્શ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ હતો. અને તેઓએ નિવૃત્તિ થયા પછી પણ બગથળા ગામે આવેલ નકલંક મંદિરમાં વયવસ્થાપક તરીકે સારી સેવા આપી હતી જેથી કરીને તેઓની કાયમી સ્મૃતિ રહે તે માટે આ શાળાના પૂર્વ શિક્ષકો તથા ગામ લોકોની પ્રેરણાથી પૂર્વ વિદ્યાર્થી નિવૃત આઈએએસ અધિકારી વેલજીભાઈ કોરવાડીયા તથા ડો.અનિલભાઈ પટેલે દ્વારા પૂર્વ આચાર્યની પ્રતિમા શાળાના પટાંગણમાં મૂકવામાં આવી છે અને તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો.






Latest News