મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું


SHARE















મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ આચાર્ય કે જેઓએ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી તેઓની સ્મૃતિ કાયમ રહે તે માટે શાળાના પટાંગણમાં પૂર્વ આચાર્ય મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાની પ્રતિમા બનાવી તેનું અનાવરણ કર્યું હતું તેઓએ વર્ષ 1957 થી 1975 દરમિયાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. અને બગથળા ગામને શિક્ષિત બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. આટલું જ નહીં  તેમણે રાજ્યપાલના હસ્તે આદર્શ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ હતો. અને તેઓએ નિવૃત્તિ થયા પછી પણ બગથળા ગામે આવેલ નકલંક મંદિરમાં વયવસ્થાપક તરીકે સારી સેવા આપી હતી જેથી કરીને તેઓની કાયમી સ્મૃતિ રહે તે માટે આ શાળાના પૂર્વ શિક્ષકો તથા ગામ લોકોની પ્રેરણાથી પૂર્વ વિદ્યાર્થી નિવૃત આઈએએસ અધિકારી વેલજીભાઈ કોરવાડીયા તથા ડો.અનિલભાઈ પટેલે દ્વારા પૂર્વ આચાર્યની પ્રતિમા શાળાના પટાંગણમાં મૂકવામાં આવી છે અને તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો.






Latest News