મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન


SHARE













વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન

વાંકાનેરના તીથવા ગામની સીમમાં યુવાનની વાડીમાં માલધારીએ 51 ગાય અને 3 પાડીને લઈ જઈને જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી દીધી હતી અને ઊભા પાકને નુકસાન કર્યું હતું તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વાડીમાં 95 હજાર રૂપિયાની નુકસાની કરી હોવાની યુવાને હાલમાં માલધારી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અહેમદરજાભાઇ હુશેનભાઇ શેરસીયા (42)એ હાલમાં રતાભાઇ શંકરભાઈ ભરવાડ રહે. તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તીથવા ગામની સોનિયા નામની ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને તેઓની વાડી તથા સાહેની વાડીમાં આરોપીએ પોતાની 51 ગાયો તથા 3 પાડીને લઈ જઈને ત્યાં જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી હતી અને બંને વાડીમાં ઉભા પાકમાં 95 હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે આટલું જ નહીં પરંતુ ફરિયાદી તથા સાહેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માલધારી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મંજુબેન મહેશભાઈ સંગોડ (25) નામના મહિલાને વાડી વિસ્તારમાં ડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News