મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા દર મંગળવારે ફ્રી ડાયાબિટીશ કલીનીક


SHARE









લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા દર મંગળવારે ફ્રી ડાયાબિટીશ કલીનીક

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્રારા દર મંગળવારે ફ્રી ડાયાબિટીશ કલીનીકની શરૂઆત કરવામાં આવેલ છે.

સંજીવની પેથોલોજી લેબોરેટરી ડૉ.રૂચિ પી.પંડ્યા (પેથોલોજીસ્ટ ) રામ ચોક ભગવતી ચેમ્બર્સ પહેલા માળે સાવસર પ્લોટ-૧૨ મોરબી ખાતે દર મંગળવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી વિના મૂલ્યે (ફ્રી) ડાયાબિટીશ ચેકઅપ કરી આપવામાં આવશે.તેમ સંસ્થાના પ્રમુખ લાયન ડૉ.પ્રેયસ પંડ્યા, ડિસ્ટ્રીકટ ડાયાબિટીશ ચેરમેન લાયન ડૉ. જયેશ પટેલ અને સેક્રેટરી લાયન દિનેશ વિડજાએ યાદીમાં જણાવાને લાભ લેવા મોરબીવાસીઓને અપીલ કરેલ છે.

ઇ-શ્રમ કાર્ડ માટે કેમ્પનું આયોજન

ઈ-શ્રમ કાર્ડધારકને રૂા.૨ લાખનો મફત જીવન વીમો અને આગામી સમયમાં સરકારી લાભો મળવાના હોય આવું ઉપયોગી ઈ-શ્રમ કાર્ડ કઢાવવા ઇચ્છતા મોરબી શહેરના લોકો કે જેઓ અસંગઠિત કામદાર તરીકે નાના-મોટા ધંધા કે આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે સંકળાયેલ છે અને જેઓ ટેક્ષ ફાઇલ રિટર્ન કરવાની કેટેગરીમાં આવતા નથી તેવા તમામ ૧૬ થી ૫૯ વર્ષની ઉમર વાળા લોકો આધારકાર્ડ અને તેની સાથે લિન્ક મોબાઈલ નંબર લઈ આ માટે મોરબી નગરપાલિકા અને કોમન સર્વિસ સેન્ટર- શ્રમ આયુક્ત કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં તા.૧૦-૧૧ ને બુધવાર સવારે ૧૦ થી સાંજના ૩ વાગ્યા સુધી મોચી મંદિર મોચી શેરી મોરબી ખાતે તેમજ  ૧૦ થી ૫ વાગ્યા સુધી દરીયાલાલ મંદિર, મેમણ કોલોની મોરબી  ખાતે મફતમાં આ કાર્ડ કાઢી આપવાનો કેમ્પ આયોજિત કરેલ છે.જેમાં બધા જરૂરીયાતમંદ લોકોને લાભ લેવા તેમજ અન્ય જરૂરીયાતમંદોને લાભ લેવડાવવામાં આવે તેવી અપીલ સેનીટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ કરેલ છે.






Latest News