મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

પાટીલને કરેલ ફરિયાદની અસર ?: મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું


SHARE









પાટીલને કરેલ ફરિયાદની અસર ?: મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું

મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આગામી તારીખ ૧૩ ના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી ખાતે ભાજપ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સ્નેહ મિલનની પત્રિકાની અંદરથી મોરબીના માજી ધારાસભ્યના નામની બાદબાકી કરવામાં આવી હતી જેથી કરીને આ મુદે પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલનના કાર્યક્ર્મની નવી પત્રિકા તૈયાર કરવામાં આવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને કરવામાં આવેલ ફરિયાદની સીધી જ અસર જિલ્લા ભાજપના કાર્યક્ર્મની પત્રિકામાં જોવા મળી છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડીની આગેવાની હેઠળ મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવારનુ સ્નેહમિલન રાખવામાં આવ્યું છે અને આગામી તારીખ ૧૩ ના રોજ મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે ત્યારે આ કાર્યક્ર્મની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ શરૂ થયો હતો કેમ કે, સ્નેહ મિલન કાર્યક્રમ માટે જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનોના નામ લખવામાં આવ્યા હતા

જોકે મોરબી-માળિયા વિસ્તારની અંદર સતત ૨૫ વર્ષ સુધી ભાજપનો ગઢ જાળવીને રાખનારા અને સતત પાંચ વખત વિજેતા બનેલા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન હોવાથી કાંતિભાઇ અમૃતિયાના સમર્થક અને ભાજપના પાયાના પથ્થર જેવા કાર્યકર દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને આ મુદ્દે ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી અને તે ઓડિયો વાઇરલ થયો હતો અને ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કરવા માટે મોરબી જિલ્લા ભાજપના આગેવાનોને કહેવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું અને હાલમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવી આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે જેમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું છે તેની સાથોસાથ સાંસદ પૂનમબેન માડમ, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, ટંકારાના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલના નામનો પણ ઉમેરો કરવામાં આવેલ છે






Latest News