મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

પાટીલને કરેલ ફરિયાદની અસર ?: મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું


SHARE











પાટીલને કરેલ ફરિયાદની અસર ?: મોરબી જિલ્લા ભાજપના સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકા કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું

મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આગામી તારીખ ૧૩ ના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી ખાતે ભાજપ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સ્નેહ મિલનની પત્રિકાની અંદરથી મોરબીના માજી ધારાસભ્યના નામની બાદબાકી કરવામાં આવી હતી જેથી કરીને આ મુદે પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલનના કાર્યક્ર્મની નવી પત્રિકા તૈયાર કરવામાં આવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને કરવામાં આવેલ ફરિયાદની સીધી જ અસર જિલ્લા ભાજપના કાર્યક્ર્મની પત્રિકામાં જોવા મળી છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડીની આગેવાની હેઠળ મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવારનુ સ્નેહમિલન રાખવામાં આવ્યું છે અને આગામી તારીખ ૧૩ ના રોજ મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે ત્યારે આ કાર્યક્ર્મની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ શરૂ થયો હતો કેમ કે, સ્નેહ મિલન કાર્યક્રમ માટે જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનોના નામ લખવામાં આવ્યા હતા

જોકે મોરબી-માળિયા વિસ્તારની અંદર સતત ૨૫ વર્ષ સુધી ભાજપનો ગઢ જાળવીને રાખનારા અને સતત પાંચ વખત વિજેતા બનેલા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન હોવાથી કાંતિભાઇ અમૃતિયાના સમર્થક અને ભાજપના પાયાના પથ્થર જેવા કાર્યકર દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને આ મુદ્દે ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી અને તે ઓડિયો વાઇરલ થયો હતો અને ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કરવા માટે મોરબી જિલ્લા ભાજપના આગેવાનોને કહેવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું અને હાલમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવી આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે જેમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉમેરાયું છે તેની સાથોસાથ સાંસદ પૂનમબેન માડમ, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, ટંકારાના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલના નામનો પણ ઉમેરો કરવામાં આવેલ છે






Latest News