મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું


SHARE













મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ L ગ્રુપથી ઓળખાતા લેવીટો ગ્રેનાઈટો તથા લોરીયાન્સ સિરામિકમાં કામ કરતાં શ્રમિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિકોને ઇપીએફો દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નિધિ આયકે નિકટ 2.0 તથા ઈએસઆઇસી દ્વારા ચાલતા સુવિધા સમાગમ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને સંયુક્તમાં કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃતિ આવે તે માટેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દર મહિને તા. 27 ના રોજ શ્રમિકોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઇપીએફો તરફથી ઈરમબેન શેખ, ઈએસઆઇસી તરફથી સચિનભાઈ જાની, મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા તથા કારખાનાના માલીક જયેશભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.








Latest News