શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું


SHARE











મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ L ગ્રુપથી ઓળખાતા લેવીટો ગ્રેનાઈટો તથા લોરીયાન્સ સિરામિકમાં કામ કરતાં શ્રમિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિકોને ઇપીએફો દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નિધિ આયકે નિકટ 2.0 તથા ઈએસઆઇસી દ્વારા ચાલતા સુવિધા સમાગમ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને સંયુક્તમાં કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃતિ આવે તે માટેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દર મહિને તા. 27 ના રોજ શ્રમિકોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઇપીએફો તરફથી ઈરમબેન શેખ, ઈએસઆઇસી તરફથી સચિનભાઈ જાની, મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા તથા કારખાનાના માલીક જયેશભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.






Latest News