મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી સેસન્સ કોર્ટ


SHARE









મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી સેસન્સ કોર્ટ

મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે વર્ષ-૨૦૨૨ માં થયેલ ચકચારી હત્યાના સેસન્સ કોર્ટે ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં તા.૧૭-૧૨-૨૨ ના રોજ ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે મરણજનારને તા.૧૬-૧૨-૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધકકાવાળી મેલડીમાતાના મંદીર પાસે રેલ્વેના ખુલ્લા મેદાનમાં આરોપીઓએ ભોગ બનનાર તથા સાહેદ જીતેશ કાંતીભાઈ દેવીપુજક બન્ને જુની અદાવતનુ સમાધાન કરવા મોબાઈલ ફોનથી બોલાવી આરોપીઓએ ગેરકાયદેસરની મંડળી રચીને ભોગ બનનારને પેટના ભાગે તેમજ શરીરે દશ જેટલા છરીના ધા મારીને તથા લાકડી તથા ધોકાથી માર મારી જાનથી મારી નાખવાના ઈરાદે જ ગંભીર પ્રકારની ઈજા કરી તથા સાહેદને લાકડીથી માર મારી નાશી જઈ ગુન્હો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ ફરીયાદ આપેલ .જેથી રાજકોટ રેલ્વે પોલીસે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪  ૧૨૦(બી) તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે.ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે.આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News