મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો


SHARE









એસીબી ત્રાટકી: મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો

મોરબી સહિત ગુજરાતમાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં એસીબીની ટીમ દ્વારા જુદીજુદી સરકારી કચેરીઓમાં સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ નરી વાસ્તવિકતા છે તેવામાં થોડા જ દિવસોમાં એસીબીની ટીમે બીજી સફળ રેડ કરેલ છે થોડા સમય પહેલા ઘૂટું ગામે રેડ કરી હતી ત્યારે તલાટિ અને સરપંચના પતિ લાંચ લેતા પકડાયેલ હતા ત્યાર બાદ આજે મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી છે.

મોરબીમાં એક અરજદારને ખેડૂતનું પ્રમાણ પત્ર જોઈતું હતું તે અરજદાર પાસેથી રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે 4000 ની લાંચ માંગી હતી અને ત્યાર બાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી કરીને એસીબીની ટીમે આજે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ. લાલિવાલાએ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીસા નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શન હેઠળ કરી હતી.






Latest News