મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા જાહેર


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા જાહેર

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આ લેખ સિરીઝમાં આપણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા ફુગનાશકો અને દવાઓ વિશે જાણકારી મેળવીશું..

ખાટી છાશનું મિશ્રણ બનાવવાની રીત

૭- ૧૦ દિવસ જૂની ૧૦ લીટર ખાટી છાશ લો. આ છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાકમાં છંટકાવ કરી શકાય છે. ખાટી છાશ એ કુદરતી ફૂગનાશક છે. તે પાકમાં રહેલા વિષાણુ અને ફૂગનો નાશ કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

બીજામૃત બનાવવાની રીત

૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર૫ કિગ્રા દેશી ગાયનું છાણ૫૦ ગામ ચૂનો૧ મુઠ્ઠી વૃક્ષ નીચેની માટી- આ તમામ મિશ્રણને ૨૦ લીટર જેટલા પાણીમાં વ્યવસ્થિત રીતે ઓગાળી દો. ત્યારબાદ આ મિશ્રણને ૨૪ કલાક સુધી રાખી મૂક્યા બાદ ૧૦૦ કિગ્રા જેટલું બિયારણ કરતી વખતે પટમાં આપવું જોઈએ.

સુંઠાસ્ત્ર બનાવવાની રીત

૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો વાવડીંગ પાવડરને ૨ લીટર પાણીમાં અડધો ભાગ રહે તેટલું ઉકાળી લો. આ પ્રવાહી ઠંડુ પડયા બાદ ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળો. મલાઈ કાઢ્યા બાદ ૨૦૦ લીટર પાણીમાં આ ઉકાળો અને દૂધ વ્યવસ્થિત રીતે ઓગાળી દો. આ મિશ્રણને ૨ કલાક રાખી મૂક્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.








Latest News