મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં ખનીજ માફિયાઓ-ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી કરવા સરપંચ જુથની માંગ


SHARE







મોરબીમાં જીલ્લામાં ખનીજ માફિયાઓ-ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી કરવા સરપંચ જુથની માંગ

મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં થતી બેફામ ખનીજ ચોરી રોકવા માટેની માંગ કરવામાં આવી છે તેની સાથોસાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં ખોટી રેડ કરીને દંડ કરવામાં આવેલ છે જેથી કરીને અધિકારીની સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સિમ વિસ્તારમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ખનીજ માફિયાબેફામ બન્યા છે અને ૨૪ કલાક ખનીજ ચોરી કરવામાં આવે છે જેથી કરીને પંચાયત તથા સરકારની તિજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે તો પણ મોરબી જિલ્લા ભૂસ્તર શાખા ખનીજ ચોરીને રોકવામાં નિષ્ફળ નીવડેલ છે અને ખનીજ માફિયાને દડવાને બદલે જ્યાં પંચાયત કે લોકહિતના કામ કરવામાં આવે છે ત્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોટી રેડ કરવામાં આવે છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના ગીર ખીજડીયા ગામે અને થોડા સમય પહેલા લજાઈ ગામે લોકહિતના કામ કરતા વાહનોને પકડવામાં આવ્યા હતા અને દંડ લેવામાં આવેલ હતો જેથી કરીને ભૂસ્તર શાખાના અધિકારીની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાથી સરપંચો અને ગામના લોકોને બચાવવામાં આવે તેવી મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.






Latest News