મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત


SHARE







વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે રાજકોટથી યુવાન આવ્યો હતો ત્યારે મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા માટે જતા સમયે અકસ્માતે કોઈ કારણોસર યુવાન પાણીમાં પડી ગયો હતો જેથી તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના લીધે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ નવજીવન હોલ સામે ન્યુ સુભાષ નગર સોસાયટી શેરી નં-2 માં રામજી મંદિરની સામેના ભાગમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઇ પાનસુરીયા (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યો હતો અને ત્યાં મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા જતા સમયે કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે રાજેશભાઈ પાનસુરીયાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હર્ષ ઉર્ફે મુન્નાભાઈ દુધરેજીયા (45) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News