મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત


SHARE













વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે રાજકોટથી યુવાન આવ્યો હતો ત્યારે મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા માટે જતા સમયે અકસ્માતે કોઈ કારણોસર યુવાન પાણીમાં પડી ગયો હતો જેથી તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના લીધે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ નવજીવન હોલ સામે ન્યુ સુભાષ નગર સોસાયટી શેરી નં-2 માં રામજી મંદિરની સામેના ભાગમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઇ પાનસુરીયા (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યો હતો અને ત્યાં મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા જતા સમયે કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે રાજેશભાઈ પાનસુરીયાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હર્ષ ઉર્ફે મુન્નાભાઈ દુધરેજીયા (45) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News