વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત
SHARE
વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત
વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે રાજકોટથી યુવાન આવ્યો હતો ત્યારે મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા માટે જતા સમયે અકસ્માતે કોઈ કારણોસર યુવાન પાણીમાં પડી ગયો હતો જેથી તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના લીધે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ નવજીવન હોલ સામે ન્યુ સુભાષ નગર સોસાયટી શેરી નં-2 માં રામજી મંદિરની સામેના ભાગમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઇ પાનસુરીયા (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યો હતો અને ત્યાં મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા જતા સમયે કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે રાજેશભાઈ પાનસુરીયાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હર્ષ ઉર્ફે મુન્નાભાઈ દુધરેજીયા (45) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









