વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ
SHARE
વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ
જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના ત્રણ વિભાગ કર્યા હતા અને બાળકોએ ઉત્સાહ પૂર્વ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. અને દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને અનુદાનિત નિવાસી પ્રા. શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ અને શ્રી મકતાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા ઈનામ તેમજ ફૂલ સ્કેપના ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળવાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને અને માર્ગદર્શક શિક્ષક ને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.