મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા


SHARE













મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈનો 43 માટે વિજય થયેલ છે.જયારે ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ અને સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈનો વિજય થયેલ છે.જેથી કરીને વકીલ મિત્રોએ આ વિજયને ઢોલ નગારા સાથે વધાવ્યો હતો.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજાચેતનભાઈ સોરીયાપ્રાણલાલભાઈ માનસેતાદેવજીભાઈ પરમારે દાવેદારી કરી હતી જયારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયાદેવજીભાઈ પરમારરજાકમિંયા બુખારીમનીષભાઈ જોશી, સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણજોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયાદેવજીભાઈ પરમારધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરપ્રદીપભાઈ કટીયાકરમશીભાઈ પરમારમોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ હતી અને મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને મોડી સાંજ સુધી મતગણતરી ચાલી હતી અને ત્યાર બાદ વિજેતા ઉમેદવરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈ, ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ, સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરકરમશીભાઈ પરમાર અને મોનિકાબેન સંઘાણીનો વિજય થયેલ છે.જયારે મહીલા પ્રતિનિધી તરીકે કમળાબેન મુછડીયા બીન હરીફ જાહેર થયા હતા.જેથી વિજેતા બનેલા તમામ વકીલોને અન્ય વકીલોએ ફોનથી તેમજ રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી.તેમજ કોર્ટ બિલ્ડિંગના પરિસરમાં ઢોલ નગારા સાથે વિજેતા પ્રમુખ સહિતના હોદેદારોને વધાવવામાં આવ્યા હતા.




Latest News