ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા


SHARE













મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈનો 43 માટે વિજય થયેલ છે.જયારે ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ અને સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈનો વિજય થયેલ છે.જેથી કરીને વકીલ મિત્રોએ આ વિજયને ઢોલ નગારા સાથે વધાવ્યો હતો.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજાચેતનભાઈ સોરીયાપ્રાણલાલભાઈ માનસેતાદેવજીભાઈ પરમારે દાવેદારી કરી હતી જયારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયાદેવજીભાઈ પરમારરજાકમિંયા બુખારીમનીષભાઈ જોશી, સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણજોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયાદેવજીભાઈ પરમારધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરપ્રદીપભાઈ કટીયાકરમશીભાઈ પરમારમોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ હતી અને મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને મોડી સાંજ સુધી મતગણતરી ચાલી હતી અને ત્યાર બાદ વિજેતા ઉમેદવરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈ, ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ, સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરકરમશીભાઈ પરમાર અને મોનિકાબેન સંઘાણીનો વિજય થયેલ છે.જયારે મહીલા પ્રતિનિધી તરીકે કમળાબેન મુછડીયા બીન હરીફ જાહેર થયા હતા.જેથી વિજેતા બનેલા તમામ વકીલોને અન્ય વકીલોએ ફોનથી તેમજ રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી.તેમજ કોર્ટ બિલ્ડિંગના પરિસરમાં ઢોલ નગારા સાથે વિજેતા પ્રમુખ સહિતના હોદેદારોને વધાવવામાં આવ્યા હતા.






Latest News