ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તા. 27 અને 28 ના રોજ મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે મોરબી જિલ્લાના તમામ ખેડુતોને તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તેને પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને આ ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.

જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. તેમજ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત સ્થળો પર રાખવા જોઈએ. તેમજ ત્યાં વેચાણઅર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી જોઈએ.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામ સેવકશ્રી, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News