મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન


SHARE













ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન

કચ્છ લોકસભા દ્વારા તા. 25 ના પુર્વ વડા પ્રધાન ભારતરત્ન અટલજીના જન્મદિને સુશાસન દિવસે સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસાર લાભાર્થીઓને લાભ અને સન્માનનો કાર્યક્રમ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા રાખવામા આવેલ છે. ત્યારે ગુડ ગવર્નસ ડેની ઉજવણી અને ભારત રત્ન અટલજીને યાદ કરવાનો સુવર્ણ અવસરે સહભાગી બનવા જાહેર જનતાને પધારવા  સાંસદએ અપીલ કરે છે.

પુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજીની જન્મ દિને ડિસેમ્બર 25 તારીખે દર વર્ષે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ-સભાનતા લાવવા માટે સુશાસન દિન મનાવવામાં આવે છે. જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અંતર્ગત ચાલીત યોજનાઓ ના પ્રચાર-પ્રસાર અર્થે લાભાર્થીઓને લાભ આપવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું આયોજન ભુજ અદાણી ઓડીટોરિયમ, જી.કે. હોસ્પિટલ મધ્યે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે.

જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના,પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિધા લક્ષ્મી યોજના, સહિતના લાભર્થીઓને લાભ આપવા તથા સન્માન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સાંસદએ જણાવ્યુ હતું કે, સામાન્ય વર્ગ માટે ઉપરોક્ત યોજનાઓ ખુબજ લાભદાયી છે. જેનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ થાય જેથી જનતા તેનો વધુમાં વધુ લાભ લઇ શકે સ્વ રોજગારી માટે તક મળે, ઉર્જા બચત સુર્ય ઘર યોજના હેઠળ થઇ શકે, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ લાભ લઇ શકે, તેમને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ આશીર્વાદ રૂપ બનશે. 






Latest News