મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન


SHARE









ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન

કચ્છ લોકસભા દ્વારા તા. 25 ના પુર્વ વડા પ્રધાન ભારતરત્ન અટલજીના જન્મદિને સુશાસન દિવસે સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસાર લાભાર્થીઓને લાભ અને સન્માનનો કાર્યક્રમ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા રાખવામા આવેલ છે. ત્યારે ગુડ ગવર્નસ ડેની ઉજવણી અને ભારત રત્ન અટલજીને યાદ કરવાનો સુવર્ણ અવસરે સહભાગી બનવા જાહેર જનતાને પધારવા  સાંસદએ અપીલ કરે છે.

પુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજીની જન્મ દિને ડિસેમ્બર 25 તારીખે દર વર્ષે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ-સભાનતા લાવવા માટે સુશાસન દિન મનાવવામાં આવે છે. જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અંતર્ગત ચાલીત યોજનાઓ ના પ્રચાર-પ્રસાર અર્થે લાભાર્થીઓને લાભ આપવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું આયોજન ભુજ અદાણી ઓડીટોરિયમ, જી.કે. હોસ્પિટલ મધ્યે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે.

જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના,પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિધા લક્ષ્મી યોજના, સહિતના લાભર્થીઓને લાભ આપવા તથા સન્માન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સાંસદએ જણાવ્યુ હતું કે, સામાન્ય વર્ગ માટે ઉપરોક્ત યોજનાઓ ખુબજ લાભદાયી છે. જેનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ થાય જેથી જનતા તેનો વધુમાં વધુ લાભ લઇ શકે સ્વ રોજગારી માટે તક મળે, ઉર્જા બચત સુર્ય ઘર યોજના હેઠળ થઇ શકે, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ લાભ લઇ શકે, તેમને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ આશીર્વાદ રૂપ બનશે. 






Latest News