મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એડોપ્શન ઓફ મધર વાર્ષિક પ્રોજેક્ટ સંપન્ન
મોરબીના પાનેલીમાં પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી
SHARE
મોરબીના પાનેલીમાં પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના "પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન" અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ટી.બી. મુક્ત ભારત માટેનું ૧૦૦ દિવસનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી.ડી.અજાણાની સૂચના અને પ્રા.આ. કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, સી.એચ.ઓ. ખુશબુ પટેલ અને ગામના આશા વર્કર બહેનો દ્વારા રાષ્ટ્રીય ટી.બી. અભિયાનના હેતુ અનુસાર ટી.બી.ના દર્દીઓને શોધી તેમને મફત દવા પુરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.