મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જયારે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શ્રોતાઓને લાભ લેવા માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે.

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું તા 8 થી 14 સુધી આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી કથા ચાલશે અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. અને કથા દરમ્યાન જુદાજુદા ધાર્મિક પ્રસંગોને પણ ઉજવવામાં આવશે. અને કથાના આયોજકોએ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે. અને વધુમાં વધુ લોકોને કથાનો લાભ લેવા મતયે આયોજકોએ અનુરોધ કરેલ છે.

શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીમાં સતધામ પરિવાર દ્વારા તા. 9થી 15 સુધી રાતે 8:30 થી 11:00 વાગ્યા સુધી રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે. આ તકે સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, મહંત દામજીભગત, ભાણદેવજી મહારાજ વિગેરે હાજર રહેશે. અને આ કથાની પોથીયાત્રા તા 9 ના રોજ સાંજે 7:30 વાગ્યે નાથાભાઈ છગનભાઈ બાવરવાના નિવાસ સ્થાન હરિવિલા ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસેથી નીકળશે. આ કથામાં શિવ પ્રાગટય, શંકર-પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News