મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન


SHARE













મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જયારે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શ્રોતાઓને લાભ લેવા માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે.

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું તા 8 થી 14 સુધી આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી કથા ચાલશે અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. અને કથા દરમ્યાન જુદાજુદા ધાર્મિક પ્રસંગોને પણ ઉજવવામાં આવશે. અને કથાના આયોજકોએ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે. અને વધુમાં વધુ લોકોને કથાનો લાભ લેવા મતયે આયોજકોએ અનુરોધ કરેલ છે.

શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીમાં સતધામ પરિવાર દ્વારા તા. 9થી 15 સુધી રાતે 8:30 થી 11:00 વાગ્યા સુધી રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે. આ તકે સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, મહંત દામજીભગત, ભાણદેવજી મહારાજ વિગેરે હાજર રહેશે. અને આ કથાની પોથીયાત્રા તા 9 ના રોજ સાંજે 7:30 વાગ્યે નાથાભાઈ છગનભાઈ બાવરવાના નિવાસ સ્થાન હરિવિલા ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસેથી નીકળશે. આ કથામાં શિવ પ્રાગટય, શંકર-પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.








Latest News