મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન


SHARE







મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જયારે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શ્રોતાઓને લાભ લેવા માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે.

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું તા 8 થી 14 સુધી આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી કથા ચાલશે અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. અને કથા દરમ્યાન જુદાજુદા ધાર્મિક પ્રસંગોને પણ ઉજવવામાં આવશે. અને કથાના આયોજકોએ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે. અને વધુમાં વધુ લોકોને કથાનો લાભ લેવા મતયે આયોજકોએ અનુરોધ કરેલ છે.

શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીમાં સતધામ પરિવાર દ્વારા તા. 9થી 15 સુધી રાતે 8:30 થી 11:00 વાગ્યા સુધી રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે. આ તકે સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, મહંત દામજીભગત, ભાણદેવજી મહારાજ વિગેરે હાજર રહેશે. અને આ કથાની પોથીયાત્રા તા 9 ના રોજ સાંજે 7:30 વાગ્યે નાથાભાઈ છગનભાઈ બાવરવાના નિવાસ સ્થાન હરિવિલા ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસેથી નીકળશે. આ કથામાં શિવ પ્રાગટય, શંકર-પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News