મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ


SHARE









મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ

મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કરાયું હતુ.

મોરબીના લાલપર ગામે સાસંદ સભ્ય મોહનભાઇની ગ્રાન્ટમાંથી રૂા.પાંચ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરાયું તથા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પુ્ષ્પમાળા પહેરાવી કરવામા આવ્યુ હતુ આ તકે સાસંદ મોહનભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા બંધારણના ધડવૈયા બાબાસાહેબની સ્મૃર્તિ માટે ભારતમાં જુદીજુદી જગ્યાઓને પંચતિર્થ તરીકે વિકસાવવામાં આવશે તથા ડો.બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ એવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં હીરાભાઇ ટમારીયા ચેરમેન આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત તથા અરવિંદભાઇ વાસદડીયા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ,.જેઠાભાઇ પારેધી, નિલેશ જેતપરીયા પ્રમુખ સિરામિક એશોસિયન, કાનજીભાઇ ચાવડા, વિક્રમસિંહ ઝાલા, હંસાબેન ગોરધનભાઇ સોલંકી ચેરમેન તા.પંચાયત, ગોપાલભાઇ સોલંકી, સરપંચ શારદાબેન રમેશભાઇ વાંસદડીયા, લાલજીભાઇ સોલંકી  સહિતના મહાનુભાવો જોડાયા હતા.કાર્યક્રમનુ સંચાલન કનુભાઇ ચૌહાણે કર્યુ તથા કાર્યક્રમના આયોજક ડુંગર ભગત, સંજય સોલંકીની ટીમ દ્વારા તમામ મહેમાનોનો આભાર માનવામા આવ્યો હતો.






Latest News