સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ


SHARE













મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ

મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કરાયું હતુ.

મોરબીના લાલપર ગામે સાસંદ સભ્ય મોહનભાઇની ગ્રાન્ટમાંથી રૂા.પાંચ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરાયું તથા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પુ્ષ્પમાળા પહેરાવી કરવામા આવ્યુ હતુ આ તકે સાસંદ મોહનભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા બંધારણના ધડવૈયા બાબાસાહેબની સ્મૃર્તિ માટે ભારતમાં જુદીજુદી જગ્યાઓને પંચતિર્થ તરીકે વિકસાવવામાં આવશે તથા ડો.બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ એવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં હીરાભાઇ ટમારીયા ચેરમેન આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત તથા અરવિંદભાઇ વાસદડીયા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ,.જેઠાભાઇ પારેધી, નિલેશ જેતપરીયા પ્રમુખ સિરામિક એશોસિયન, કાનજીભાઇ ચાવડા, વિક્રમસિંહ ઝાલા, હંસાબેન ગોરધનભાઇ સોલંકી ચેરમેન તા.પંચાયત, ગોપાલભાઇ સોલંકી, સરપંચ શારદાબેન રમેશભાઇ વાંસદડીયા, લાલજીભાઇ સોલંકી  સહિતના મહાનુભાવો જોડાયા હતા.કાર્યક્રમનુ સંચાલન કનુભાઇ ચૌહાણે કર્યુ તથા કાર્યક્રમના આયોજક ડુંગર ભગત, સંજય સોલંકીની ટીમ દ્વારા તમામ મહેમાનોનો આભાર માનવામા આવ્યો હતો.




Latest News