મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ


SHARE







મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ

મોરબીને મહાપાલિકા વિસ્તારમાં કોઈ પણ મંજૂરી વગર આડેધડ પતંગના સ્ટોલ રોડ ઉપર નાખી દેવામાં આવેલ હતા અને છેલ્લા ઘણા દિવસોથી ત્યાં વેપાર પણ કરવામાં આવતો હતો ત્યારે તે સ્ટોલને હટાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને મકરસંક્રાંતિના આગળના દિવસે મહાપાલિકાની ટિમ સફાળી જાગી હતી અને મંજૂરી વગર આડેધડ સ્ટોલ ઊભા કરનારાઓની પાસેથી દંડ લેવામાં આવેલ હતો જેની માહિતી આપતા મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં 250 થી વધુ સ્ટોલની મુલાકાત મહાપાલિકાની ટીમે લીધેલ હતી ત્યારે 139 સ્ટોલ મંજુરી વગરના હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને તેની પાસેથી 3.76 લાખનો દંડ લેવામાં આવેલ હતો. જો કે, મકરસંક્રાંતિના આગળના દિવસે મહાપાલિકાએ કામગીરી કરેલ હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે, છેલ્લા દિવસોમાં આ ગેરકાયદે સ્ટોલના લીધે ટ્રાફિક ગંદકી સહિતના પ્રશ્નો હતા અને તેના લીધે વાહન ચાલકો અને નગરજનો હેરાન હતા જો કે, મહાપાલિકાની ટિમ કોઈ કામ કરતી ન હતી. પરંતુ હાલમાં જે છેલ્લી ઘડીએ કામ કર્યું છે તેવી કામગીરી હવે કોઈ પણ તહેવાર સમયે પહેલાથી જ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.






Latest News