માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ


SHARE

















મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ

મોરબીને મહાપાલિકા વિસ્તારમાં કોઈ પણ મંજૂરી વગર આડેધડ પતંગના સ્ટોલ રોડ ઉપર નાખી દેવામાં આવેલ હતા અને છેલ્લા ઘણા દિવસોથી ત્યાં વેપાર પણ કરવામાં આવતો હતો ત્યારે તે સ્ટોલને હટાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને મકરસંક્રાંતિના આગળના દિવસે મહાપાલિકાની ટિમ સફાળી જાગી હતી અને મંજૂરી વગર આડેધડ સ્ટોલ ઊભા કરનારાઓની પાસેથી દંડ લેવામાં આવેલ હતો જેની માહિતી આપતા મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં 250 થી વધુ સ્ટોલની મુલાકાત મહાપાલિકાની ટીમે લીધેલ હતી ત્યારે 139 સ્ટોલ મંજુરી વગરના હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને તેની પાસેથી 3.76 લાખનો દંડ લેવામાં આવેલ હતો. જો કે, મકરસંક્રાંતિના આગળના દિવસે મહાપાલિકાએ કામગીરી કરેલ હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે, છેલ્લા દિવસોમાં આ ગેરકાયદે સ્ટોલના લીધે ટ્રાફિક ગંદકી સહિતના પ્રશ્નો હતા અને તેના લીધે વાહન ચાલકો અને નગરજનો હેરાન હતા જો કે, મહાપાલિકાની ટિમ કોઈ કામ કરતી ન હતી. પરંતુ હાલમાં જે છેલ્લી ઘડીએ કામ કર્યું છે તેવી કામગીરી હવે કોઈ પણ તહેવાર સમયે પહેલાથી જ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.




Latest News