મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 20 ને સોમવારના રોજ ખોખરા હનુમાન મંદિરે ખાતે આ સમૂહલગ્ન યોજાશે. અને ત્યારે  દીકરીઓ સંતો મહંતોની હાજરીમાં પ્રભુતામાં ડગ માંડશે.

મોરબી નજીકના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરે આગામી તા 20 ના રોજ સમૂહલગ્નનું અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ખોખરા હરીહરધામના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, નકલંકધામ બગથળાના દામજી ભગત, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રભુચરણદાસજી મહારાજ અને રામઘન આશ્રમના ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહેશે. આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ત્યારે બપોરે 3 વાગ્યે જાન આવશે અને સાંજે 6 વાગ્યે હસ્ત મેળાપ કરાવવામાં આવશે અને ત્યાર બાદ સાંજે 7 વાગ્યે ભોજન રાખવામા આવેલ છે. આ તકે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને દાતાઓના સહયોગથી જીવન જરૂરી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાના પ્રમુખ હેતલબેન પટેલ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News