માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE

















મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 20 ને સોમવારના રોજ ખોખરા હનુમાન મંદિરે ખાતે આ સમૂહલગ્ન યોજાશે. અને ત્યારે  દીકરીઓ સંતો મહંતોની હાજરીમાં પ્રભુતામાં ડગ માંડશે.

મોરબી નજીકના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરે આગામી તા 20 ના રોજ સમૂહલગ્નનું અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ખોખરા હરીહરધામના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, નકલંકધામ બગથળાના દામજી ભગત, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રભુચરણદાસજી મહારાજ અને રામઘન આશ્રમના ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહેશે. આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ત્યારે બપોરે 3 વાગ્યે જાન આવશે અને સાંજે 6 વાગ્યે હસ્ત મેળાપ કરાવવામાં આવશે અને ત્યાર બાદ સાંજે 7 વાગ્યે ભોજન રાખવામા આવેલ છે. આ તકે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને દાતાઓના સહયોગથી જીવન જરૂરી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાના પ્રમુખ હેતલબેન પટેલ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.




Latest News