સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ


SHARE

















મોરબીના નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ

મોરબીના ખ્યાતનામ શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા, લાગણી અને પ્રેમ ધરાવતા પી.ડી. કાંજીયા કે જેમની કરિયરની શરૂઆત કરી ત્યારે 1992 થી 1995 ત્રણ વર્ષ સુધી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ગૃહપતિ તરીકે સેવા આપી હતી. અને આજે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો છે પી.ડી. કાંજીયા. એ વખતના વિદ્યાર્થીઓ આજે 32 વર્ષે પણ એની સાથે લાગણીથી જોડાયેલ છે જેથી કરીને પૂર્વ વિદ્યાર્થીઓ અને એમને ભણાવતા મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી માધ્યમિક વિદ્યાલયના શિક્ષકોને સંકુલે આમંત્રિત કર્યા હતા. અને 32 વર્ષે પણ સ્વાર્થ વિના દૂર દૂરથી વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાય અને રજાના દિવસે ત્યાં આવ્યા હતા

આ સ્નેહમિલનમાં અંદાજે 300 થી વધારે વિદ્યાર્થીઓ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુરુજનો અને પી. ડી.કાંજિયા સાહેબનું ભૂતપૂર્વ સૌ વિદ્યાર્થીઓએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યાર બાદ હાજર રહેલા પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને જૂની યાદો વાગોડીને હતી તેમજ પેટ ભરીને હસાવ્યા હતા આ તકે બધાએ ખૂબ આનંદ કર્યો હતો અને સાથે નાચ્યાં, કુદીયા હતા અને ગ્રુપ ફોટો પણ લીધા હતા. પાટીદાર સમાજના સ્વ.લક્ષ્મણ બાપા, સ્વ. જયરાજ બાપા, સ્વ.કાનજી બાપા, સ્વ. ડૉ.આંબાલાલ બાપા, સ્વ. ઓ.આર.પટેલ, સ્વ. જીવરાજબાપા વિરપરિયા અને  સ્વર્ગસ્થ શિક્ષક સદાતીયાભાઈને શ્રદ્ધા સુમન અર્પી અને એની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમમાં તે વખતના વિદ્યાર્થીઓના ગૃહપતિ પ્રાણજીવનભાઈ ઉર્ફ પી.ડી. કાંજીયા અને શિક્ષકોમાં સાણંદિયાભાઈ, અંદરપાભાઈ, હળવદિયાભાઈ, રાંકજાભાઈ હાજર રહ્યા હતા. મોરબીન જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશ કુંડારીયા અને સીરામીક એસો.ના પ્રમુખ હરેશ બપોલિયા પણ જે તે સમયે કાંજીયા સાહેબના વિદ્યાર્થીઓ હોય તે આકસ્મિક કારણોસર કામ આવી જતા હાજર રહી શક્યા ન હતા. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ વિદ્યાર્થી અને રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષક હર્ષદભાઈ મારવણીયાએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનવવા અશોક સદાતિયાં, પ્રફુલ ચંદ્રાલા, દેવેન્દ્ર ભોજાણી, રાજેશ ફુલતારીયા અને રોહિત અગોલાએ જહેમત ઉઠાવી હતી




Latest News