મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખરેડાથી વાંકડા જવાના રસ્તા ઉપર રિક્ષા પલ્ટી જતાં બે મહિલા સહિત ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબીના ખરેડાથી વાંકડા જવાના રસ્તા ઉપર રિક્ષા પલ્ટી જતાં બે મહિલા સહિત ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર હનુમાન ધાર પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી આ બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા પાર્વતીબેન બળદેવભાઈ અઘારા (38), અશોકભાઈ કરસનભાઈ અઘારા (65) અને મીનાબેન અશોકભાઈ અઘારા (50) નામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ખરેડા ગામેથી રિક્ષામાં બેસીને ત્રણેય વ્યક્તિઓ વાંકડા ગામ તરફ જતા રસ્તા ઉપર હનુમાન ધાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેયને ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના ધરમપુર રોડ ઉપર આવે લાભનગરમાં રહેતો કોટડીયા આદિત્ય ઘોઘાભાઈ નામના બાળકને શેરીમાં ઘર પાસે રમતો હતો ત્યારે કોઈ અજાણીકારના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થયેલ હતી માટે બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી કરી હતી. 








Latest News