મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


SHARE









વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ચંદ્રપુર ગામની પાસે હાઇવેના તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતાં સમયે પડી જતા માથામાં થયેલ ગંભીર ઇજાઓના લીધે આધેડનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા (ઉમર ૫૦) નામના આધેડ તેમના પુત્રને મૂકવા માટે ચંદ્રપુર તરફ જવા નિકડયા હતા ત્યારે હાઇવે ઉપરના તૂટેલા ડિવાઈડરમાંથી તેઓએ બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતા બાઇકમાંથી પડી જતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર મુનાફભાઈ હસનભાઈ ખલીફાએ મૃતકની સામે બેદરકારીથી વાહન હંકારવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક હસનભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News