મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત


SHARE











મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે કે નિરાધારો અને વિકલાંગો તથા જે સ્વર્ણિમ ગુજરાત હેઠળ જે ૭૫૦ જેટલી નજીવી રકમ આવે છે તેમા પણ છેલ્લા ત્રણ માસથી તેમના ખાતામાં પેન્શન આવેલ નથી તો શાના કારણો આ વિલંબ થાય છે..? તેની તપાસ કરવા સામાજીક કાર્યકરએ અરજ કરેલ છે. આવા નિરાધારો તેમજ વિકલાંગોના દિવાળીમાં પણ આવુ પેન્શન મળેલ નથી તો આવા અબાલ વૃધ્ધોની દિવાળીના તહેવારમાં ઘેર દિવા પણ ન કરી શકયા એવી હાલત હોવા છતાં નિરાધારોને સરકારે રૂા.૭૫૦ જેવું નજીવી પેન્શનની રકમમાં પણ આવો વિલંબ કરે છે તો આમાં પેન્શન વધારો તો કયાંથી કરવામાં આવશે..!

જો કોઇ નિરાધાર ને હૈયાતી હુકમ આપવામાં વિલંબ થયેલ હોય તો તેને લેખીત જાણ કરવી જરૂરી હોય છે છતાં પણ આવું સરકારી બાબુઓ કરતા નથી અને નિરાધારો વિધવાબહેનોના છેલ્લા ૩ (ત્રણ) માસથી પેન્શન બંધ થયેલ છે અને આવા બીચારા વૃધ્ધોને રીક્ષાના ભાડા ખર્ચીને ધકકા જાય છે અને રીક્ષાના ભાડા ખર્ચીને બેંકથી પાછા ફરે છે અને નિરાશ થઇ ને પાછા ફરે છે. તો આવા નિરાધારો સામે સરકાર જુવે અને અન્ વિલંબ માટે જવાબદારોની સામે પગલા લે તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે માંગ કરેલ છે. આવા અબાલ,વૃધ્ધો, વિધવાઓની તરફથી ફરીયાદ છે.વિધવા બહેનો પોસ્ટ ઓફીસેથી પણ ધરમના ધકા ખાઇને ધરે પાછા ફરે છે. આ ઉપરાંત તેને પેન્શનમાં પણ વધારો થાય તે માટે પણ ઉચ્ચ સ્તરે રજુઆત કરવા માટે પણ આ અરજી સાથે રજુઆત કરવામાં આવેલ છે. તો આ અંગે યોગ્ય સત્વરે પગલા લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરાયેલ છે.






Latest News