ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચાલી રહેલા ખનીજ ચોરી બંધ કરાવવા માજી ઉપસરપંચની માંગ


SHARE











મોરબીના બેલા ગામે ચાલી રહેલા ખનીજ ચોરી બંધ કરાવવા માજી ઉપસરપંચની માંગ

મોરબીનાં બેલા (રં) ગામની સીમમાં સરકારી જમીનમાં અગાઉ ખનીજ ચોરીની ફરિયાદી કરી હતી જેથી કરીને ખનીજ ચોરી બંધ થઈ ગયેલ હતી જો કે, હાલમાં ફરી પાછી ખનીજ ચોરી શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને ગામના માજી ઉપસરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોરીને બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના બેલા ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ્ર એસ. આચાર્ય દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છેકે, બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અને ખોખરા બેલા સીમમાં જીઈબીની બાજુમાં હાલ ખનીજ ચોરી ચાલી થાય છે. ત્યાં રાત્રિના ૧૧:૦૦ થી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને તેના માટે બે હીટાચી, ૨૦ ટ્રક ત્યાં કામે લગાડવામાં આવે છે. અત્રે ઉલેખનીય છે કે, ગત તા.  ૩૦/૧૧/૨૦૨૪ નાં રોજ ખનીજ વિભાગે રેડ કરીને ખનીજ ચોરી બંધ કરાવી હતી. જો કે, હાલમાં ફરી પાછી ત્યાં ખનીજ ચોરી ચાલુ થયેલ છે અને અગાઉ જે લોકો ખનીજ ચોરી કરતા હતા તે જ લોકો હાલમાં ત્યાંથી ખનીજ ચોરી કરી રહયા છે. અને ગામમાં થતી ચર્ચા મુજબ ગામના સરપંચ અને તલાટિના આશીર્વાદથી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને જ આ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જો અધિકારી દ્વારા ખનીજ ચોરી પાછી કેમ ચાલુ થ?, જો ખનીજ ચોરીની જાણ કરવા માટે કોઈ ફોન કરે તો ખનીજ વિભાગના અધિકારી ફોન ઊપડતાં નથી ?, જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોર બંધ કરાવવાની માંગ કરી છે. અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ના છુટકે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવશે તેવી ચીમકી અરજદારે ઉચ્ચારી છે.






Latest News