મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદ-વાંકાનેર પાલિકાની સામાન્ય અને માળીયા (મી) પાલિકાના બે બેઠકની ચૂંટણીનું 16 ફેબ્રુઆરીએ મતદાન


SHARE







હળવદ-વાંકાનેર પાલિકાની સામાન્ય અને માળીયા (મી) પાલિકાના બે બેઠકની ચૂંટણીનું 16 ફેબ્રુઆરીએ મતદાન

રાજ્યમાં પાલિકા મહપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની પાંચ પૈકીની બે પાલિકાની સામાન્ય ચૂંટણી અને માળીયા પાલિકાની બે બેઠક માટેની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે જો કે, ટંકારા સહિત રાજ્યની નવી નગરપાલિકાની ચૂંટણી હાલમાં જાહેર કરવામાં આવેલ નથી.

ગુજરાતમાં ઘણી પાલિકા અને મહાપાલિકાની મુદત પૂર્ણ થઈ ગયેલ છે જો કે, વહીવટદારથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું તેવામાં મંગળવારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે જેમાં કુલ મળીને 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ નગરપાલિકા કે જેની મુદત ઘણા સમયથી પૂરી થઈ ગયેલ છે તેની સામાન્ય ચૂંટણી યોજાશે. તેમજ વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર પાલિકાની પણ ચૂંટણી યોજાશે તેમજ માળિયા મિયાણા નગરપાલિકાની બે બેઠક ખાલી છે જેથી કરીને ત્યાં પેટાચૂંટણી યોજાશે. તે ઉપરાંત મોરબી જીલ્લામાં માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠક તેમજ વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે. જેના માટે 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે ત્યાર બાદ 3 તારીખે ફોર્મની ચકાસણી, 4 તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ, 16 તારીખ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 






Latest News