મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં પાણી ન આવતા ઘરના પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી


SHARE













ભારે કરી: મોરબીમાં પાણી ન આવતા ઘરના પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા આસામીના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી જેથી તેને મહાપાલિકામાં રજૂઆતો કરેલ છે તો પણ પાણી આવી રહ્યું નથી જેથી નારાજ થયેલા આસામીએ કલેક્ટર અને કમિશ્નરને રજૂઆત કરીને હવે પાણી ન આવે તો પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં કન્યા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી -2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ હાલમાં કલેક્ટર અને કમિશનરને રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છેકે, તેમના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી અને તેના માટે ગત તા. 13 લેખિતમાં રજૂઆત કરી હતી ત્યાર બાદ તા. 20 ના રોજ બીજી વખત રજુઆત કરેલ હતી તો પણ પાણી મળે તે માટે નક્કર કામ કરવામાં આવ્યું નથી જેથી હવે પાણી નહિ મળે તો તેઓ અન્નજળનો ત્યાગ કરીને પોતાના ઘરના પાણીના ટાંકામાં ઉપવાસ ઉપર ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News