મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ જાહેર કરતી મોરબી સેશન્સ કોર્ટ


SHARE













વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ જાહેર કરતી મોરબી સેશન્સ કોર્ટ

વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ જાહેર  કરવાનો મોરબી સેશન્સ કોર્ટએ હુકમ કરેલ છે.તા.૨૭-૪-૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેવા પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં બેસવાની ના પાડતા આ કામના આરોપીએ ફરીયાદી બહેનને કહેલ કે જો તુ મોટર સાયકલમાં નહિ બેસે તો તારા ભાઈને મારી નાખીશ જેથી ફરીયાદી બહેન આરોપીના મોટર સાયકલમાં બેસી ગયેલ અને આ કામના આરોપીએ ફરીયાદી બહેનનું અપહરણ કરી મોરબી કામધેનુ રીસોર્ટ પાસે લઈ ગયેલ અને અવાવરૂ જગ્યામાં ફરીયાદી બહેન પાસે શરીર સુખ માણવાની માંગણીની ધરપકડ કરેલ હતી. કરતા ફરીયાદીએ ના પાડતા ફરીયાદીના ભાઈને મારી નાખવાની ધમકી આપેલ અને આરોપીએ ફરીયાદી બહેનની મરજી વિરુધ્ધ ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી જાતીય હુમલો કરી ફરીયાદી બહેનને વાંકાનેર ખાતે મુકી ગયેલ અને આ વાત કોઈને કહેશે તો ફરીયાદી બહેનના ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આ કામના ફરીયાદીએ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ. આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી.નં.૩૪/૨૦૧૮ થી ઉપરોકત મુજબનો ગુનો દાખલ થયેલ.સદર ફરીયાદના અનુસંધાને તપાસ એજન્સીએ જરૂરી અને યોગ્ય તપાસ કરી, આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૫, ૩૭૬(૨) તથા ૫૦૬ (૨) મુજબનો ગુનો નોધી આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણની ધરપકડ કરેલ હતી.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગ બનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટેમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને અશોક.જે.ખુમાણ રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ અને દલીલ કરેલ. જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટશ્રી જીતેન. ડી અગેચાણીયા, અશોક.જે.ખુમાણ દિલીપભાઈ અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.








Latest News