સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ  ઓફ મોરબી સીટી દ્વારા ગોકુળનગર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી


SHARE







લાયન્સ ક્લબ  ઓફ મોરબી સીટી દ્વારા ગોકુળનગર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 લાયન્સનગર પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાના હસ્તે સવારે ૮/૩૦ વાગ્યે સૂર્યદેવના સુપ્રભાત કિરણોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં  પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, મહાદેવભાઈ ચિખલીયા, પરસોત્તમભાઈ કાલરીયા, પ્રાણજીવનભાઈ રંગપડિયા, ગૌતમભાઈ કાલરીયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયા અને તેમનો સમગ્ર સ્ટાફ ધોરણ ૧ થી ૮ ના તમામ વિધાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓ ની પ્રેરક હાજરી હતી.આ કાર્યક્રમમાં પૂર્વ વિધાર્થીઓ તેમજ પુર્વ કાઉન્સિલર પરમારભાઈ અને સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પણ આ રાષ્ટ્રીય પર્વમાં સુચક હાજરી આપી હતી.

ધ્વજવંદન બાદ શાળાના તમામ વિધાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ભાવ ઉજાગર કરતા નારા લગાવ્યા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.જેમાં દેશભક્તિ' પર્યાવરણ અને નારીશક્તિની થીમ પરના કાર્યક્રમો રજૂ કર્યા વ્યસનમુક્તિ ઝુંબેશ વિશે શાળાના બાળકો દ્વારા લઘુનાટિકા પહેરવેશ અને એક્શન સાથે આબેહુબ રજૂ કરવામાં આવ્યા હતાં.લાયન્સનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓને ખજાનચી મણિલાલ કાવર તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.દરેક વિદ્યાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતું વક્તવ્ય સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ આપ્યું અને શાળાના આચાર્ય સાણંદિયાભાઈએ શાળાના બાળકોના શિક્ષણ તેમજ  તંદુરસ્તી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રવચન આપ્યું અને તમામ વાલીઓને ટકોર કરી કે તમારા બાળકને ભણાવશો તો તેઓનુ ભવિષ્ય સારૂ બનશે 






Latest News