મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા
 
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન વોર્ડ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક ચોકડી અને ત્રાજપર ચોકડી સુધી દબાણ હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે ૧૦૦ જેટલા નાના-મોટા કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓથી હાજર રહ્યા હતા.
 
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં જે દબાણ વર્ષોથી થયેલા છે તે દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને મોરબીના મુખ્ય જે માર્ગો છે તેના ૨૮ કિલોમીટરના રસ્તા ઉપર જે કોઈ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને દૂર કરવા માટેની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે વન વિક વન વોર્ડ અંતર્ગત આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી અને માળિયા ફાટક ચોકડી સુધીના રસ્તા ઉપર રોડની બંને બાજુએ થયેલા કાચા પાકા નાના-મોટા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ તકે મોરબીના મ્યુનિસીપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો અને સરકારમાંથી પણ ખાસ કરીને દબાણ દૂર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા જ્યારે સૂચના આપવામાં આવી છે ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં લોકોને રોડ રસ્તા ઉપર ટ્રાફિક સહિતના જે પ્રશ્નો ઊભા થાય છે તેમાંથી મુક્તિ મળે તે માટે થઈને મહાનગરપાલિકાના કમિશ્નરના આદેશ મુજબ દર અઠવાડિયે એક રોડ ઉપરથી દબાણ દૂર કરવા માટેની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે અંદાજે ૧૦૦ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ દર બુધવારે આવી જ રીતે કોઈને કોઈ એક વોર્ડની અંદર એક રોડ ઉપરના દબાણો દૂર કરવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.





Latest News