લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ

મોરબી મહાપાલિકા વિસ્તારમાં ઘણા ગેરકાયદે કતલખાના ચાલી રહ્યા છે તેનો હવે મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે અને મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં ગેરકાયદે કતલખાનાઓ ચાલી રહ્યા છે અને જીવહત્યા કરવામાં આવી રહી છે જેની સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તો પણ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી આટલું જ નહીં મેયર અને કમિશનરને પણ વારંવાર અરજી કરવામાં આવી છે અને પુરાવા પણ આપવામાં આવ્યા છે તો પણ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

મોરબીની જનતાએ વિશ્વાસમૂકીને કોર્પોરેટરોને ચૂંટીને સત્તા સોંપી છે. તો પછી આ ગંભીર પ્રશ્ને તેઓ મૌન કેમ છે ? જનતાની રજૂઆતો છતાં કાર્યવાહી કેમ થતી નથી ? મોરબીના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને કાયદેસર વાતાવરણમાં જીવવાનો અધિકાર નથી ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં સનાતન હિન્દુ સેના ભારત ના નામથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં મોરબી સીટીમાં ચાલતા ગેરકાયદે કતલખાનાને બંધ કરવામાં આવે અને ખાસ કરીને ધાર્મિક મંદિર આવેલા હોય કે શાળા આવેલ છે તેવા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો કે, ગેરકાયદે કતલખાના બંધ કરવા માટેની નક્કર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News