મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શ્રીમતી જે. એલ. મહેતા વિદ્યાલય-મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ તેમજ અન્ય નશાકારક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “વ્યસન છોડો, જીવન બચાવો” ના નારા લગાવી વ્યસનમુક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. શાળાના સંચાલક શ્રી જયેશભાઈ એલ. મહેતા, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.