મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા સોશિયલ મીડિયા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા સોશિયલ મીડિયા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ

જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવા સોશિયલ મીડિયામાં ગ્રુપ અને બલ્ક એસ.એમ.એસ. કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂંકી સંદેશ સેવા) તથા સોશિયલ મીડિયાનો દુરુપ્રયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવું અનુભવ પરથી જણાયેલ છે. તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય  સંસ્થાઓની ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/ સુચનાઓનો ભંગ ન  થાય તે માટે  મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલિક અટકાવવાની અત્યંત આવશ્યકતા જણાતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 


જેથી ઉક્ત જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી-૨૦૨૫ માં તારીખ ૨૧/૨/૨૫ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે વીઆઈ, બીએસએનએલ (સેલ વન), રિલાયન્સ જીઓ, એરટેલ તેમજ વાઇફાઈ સર્વિસ પ્રોવાઇડર જેવી કંપનીઓએ ઉપરોક્ત કાયદાનો ભંગ થાય તેવા, ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ, સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થાય ન હોય તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો, સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારિત કરશે કે કરવા દેશે નહીં.તેમજ રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે આગામી તારીખ ૧૪/૨/૨૫ થી ૧૬/૨/૨૫ સુધી સંપુર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધિત કરવાના રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.






Latest News