મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી જરૂરીયાતમંદો માટે સેવા કેમ્પ યોજીને


SHARE













મોરબીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી જરૂરીયાતમંદો માટે સેવા કેમ્પ યોજીને

મોરબીમાં ૨૬ મી જાન્યુઆરીના રોજ મેડીકલ કેમ્પ યોજાયો હતો.અહીંના ડૉ.હસ્તીબેન મહેતાના ૧૬૦ માં એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બિપીનભાઈ વ્યાસ (પત્રકાર) દ્વારા તેમના દિકરા ડો પાર્થ વ્યાસના દવખાનું સુમતીનાથનગર વાવડી રોડ ખાતે શરૂ કરાતા તે નિમિતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં દરેક દર્દીઓનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે  ૪૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર તેમજ ૪૫ દર્દીનું બીપી ચેકઅપ કરી આપવામાં આવેલ.આ કેમ્પ જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વા, સાંધા, ઘૂંટણના દર્દીઓને પોઇન્ટની વિશેષ સારવાર આપીને ૫૦ જેટલા દર્દીને રાહતનો અહેસાસ થયો.તેમજ આંખના ડો.સુરેશભાઈ કાલરીયા દ્વારા ૪૦ થી વધુ દર્દીની આંખ ચેક કરીને દવા સાથે ટીપાં પણ આપવામાં આવેલ.આ કેમ્પ ને સફળ બનાવવા બિપીનભાઈ વ્યાસ તેમનો પરિવાર અને મિત્રો સાથે સુમતિનાથના પૂજારી નગીનભાઈ વગેરેએ જહેમત ઉઠાવીને સુદર  રીતે કાર્યવાહી કરેલ.કેમ્પ સહાયક ચંદ્રલેખા મેહતા, દર્શન ત્રીવેદી, જનક ભટ્ટ કોઠારીભાઈએ સેવા આપેલ.આ તકે ડો.પાર્થ વ્યાસને ઘણા લોકો દ્વારા દવાખાનાના શુભારંભ માટે શુભેરછા આપેલ.

તેમજ સ્વજનની પુનિત યાદમાં તા.૨૪-૧-૨૫ ના ડો.હસ્તીબેન મેહતાના ૧૫૯ ના એક દિવસીય કેમ્પનું આયોજન માતુશ્રી હેમબેન ધીરજલાલ કારિયા (ખોડીયાર મઢુલી) હસ્તે સુપુત્ર ઘોઘુભાઈ કારિયા દ્વારા માટેલ ખોડીયાર મંદિર ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ૧૫૦ થી પણ વધુ  દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે  ૭૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર તેમજ ૭૦ દર્દીનું બીપી ચેકઅપ કરી  આપવામાં આવેલ.આ કેમ્પ જયસુખ ભાલોડિયા દ્વારા વા, સાંધા, ઘૂંટણ, ના દર્દી ઓને પોઇન્ટ ની વિશેષ સારવાર આપીને ૮૦  જેટલા દર્દી ને રાહત નો અનુભવ કરાવ્યો.સાથે ડો સુરેશભાઈ કાલરીયા દ્વારા માટેલ સ્કૂલ ની બાલિકા તેમજ  બીજા ૭૦ દર્દીઓની આંખ પણ તપાસી દવા તેમજ આંખના ટીપાંનું વિતરણ પણ કર્યું.આ કેમ્પને સફળ બનાવવા દાતા પરિવારના રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ, જતીનભાઈ તેમજ મંદિરના પૂજારી વિશાલભાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઊઠાવી  જહેમત ઉઠાવીને સુદર  રીતે કાર્યવાહી કરેલ.કેમ્પ સહાયક ચંદ્રલેખાબેન, દર્શનાબેન ત્રિવેદી, કૌશિકા રાવલ, તોષા રાવલ, ઋચિતા પંડ્યા,તેમજ રૌદ્રએ સેવા આપેલ.






Latest News