મોરબીના સીરામીક કારખાનાઓમાંથી ઓર્ડર ન મળતા પેકેજીંગ ઉદ્યોગ મરણ પથારીએ: મોટાભાગના યુનિટ બંધ, આર્થિક સંકટના એંધાણ મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે આજથી એક મહિના સુધી બંધ: સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો યુદ્ધની આડ અસર: મોરબી જીલ્લામાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ: સિરામિક, પેપર મિલ અને પોલિપેકના અંદાજે 300 કારખાના બંધ ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો મોરબીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવીને બનાવેલ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનારા વાંકાનેરના શખ્સ સામે કાર્યવાહી ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં હળવદના કવાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર સહિત કર્મયોગીઓએ બે મિનિટનું મૌન પાળ્યું


SHARE













મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર સહિત કર્મયોગીઓએ બે મિનિટનું મૌન પાળ્યું

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું.સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જેટકો કચેરી, મોરબી સરકારી મેડિકલ કોલેજ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ સવારના ૧૧ કલાકના બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમજ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ આ તકે આપણા મહાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી




Latest News