મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિન્સ તિલકધારી સિંગ (23) નામનો યુવાન ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે અને યુવાને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બાઇક સ્લીપ

માળીયા મીયાણા તાલુકાના જાજસર ગામે રહેતો મુન્નાભાઈ લાખાભાઈ પાટડીયા (35) નામનો યુવાન ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ઢુવા નજીક આવેલ સોનેટ સિરામિક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ત્યારે પ્યારેમોહન કરસનસિંઘ યાદવ (46) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે








Latest News