માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા


SHARE













મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા

મોરબીમાં ત્રાજપર ખારી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,300 ની રોકડ સાથે ચારેય અટકાયત કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી પાછળ આવેલ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવજીભાઈ બાબુભાઈ મકવાણા (58), શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (29) અને નિમુબેન રાજેશભાઈ સનુરા (55) રહે ત્રણેય ત્રાજપર મોરબી તેમજ મધુબેન દિલીપભાઈ પાટડીયા (45) રહે. પીપળી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં
મોરબીના રવાપર (નદી) ગામે રહેતા અને વાડીએ મજૂરી કામ કરતા પરિવારના સંતોષબેન લોકેશભાઈ માવી નામની ૩૨ વર્ષની મહિલાએ કોઇ કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એન.જે.ખડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.મોરબીના રવાપર ગામે રહેતા નવઘણભાઈ અમરશીભાઈ નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ત્રાજપર ચોકડી પાસે બાઈક સ્લીપ થઇ જતા ઈજા થતા સારવારમાં શઇ જવાયો હતો.

વાહન અકસ્માત
મોરબીના ખાનપર ગામના કેશવજીભાઈ ઓધવજીભાઈ નામના ૬૪ વર્ષના આધેડ ચાંચાપરથી પરત ઘરે જતા હતા.ત્યારે બાઈક અને ટ્રેકટર સાથે અથડામણ થતાં ઇજા પામતા સારવારમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા






Latest News