ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદમાં પરણીતાને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા શખ્સ સામે ફરિયાદ કરવા વાત કરતા સસરાને બંદુક જેવુ હથિયાર બતાવીને બે શખ્સે આપી મારી નાખવાની ધમકી


SHARE













હળવદમાં પરણીતાને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા શખ્સ સામે ફરિયાદ કરવા વાત કરતા સસરાને બંદુક જેવુ હથિયાર બતાવીને બે શખ્સે આપી મારી નાખવાની ધમકી

હળવદમાં પરણીતાને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા શખ્સ સામે ફરિયાદ કરવા માટે પરણીતાના પરિવારજનો વાત કરતા હતા દરમિયાન તે પરણીતાના સસરાને બદુક જેવુ હથિયાર બતાવીને બે શખ્સ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ કૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રણછોડભાઈ ઓધવજીભાઈ ચાવડા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ચમનભાઈ ગોઠવી રહે. હળવદ અને મેહુલ ઉર્ફે મેરુ પ્રેમજીભાઈ દલવાડી રહે. કણબીપરા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે સાહેદ દયારામભાઈ તથા તેના દીકરાઓ આરોપી પંકજ ગોઠી ના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવી છે તેવી વાત તેઓના વિસ્તારમાં કરતા હતા જે પંકજ ગોઠીને સારું નહીં લાગતા તે તથા મેહુલ દલવાડી બંદુક જેવું હથિયાર લઇને આવ્યા હતા અને દયારામભાઇને બતાવીને ગાળો આપીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં રણછોડભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં આ બાબતે દયારામભાઈના દીકરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેના ભાઈની પત્નીને ધર્મેન્દ્રભાઈ તેની ગાડીમાં બેસાડીને લઈ ગયી હતા જેથી તેની સામે ફરિયાદ કરવા બાબતે તેઓ પોલીસને પૂછવા માટે ગયા હતા અને તે બાબતની જાણ થતા પંકજ ગોઠી સહિતના બંને શખ્સે તેના પિતાને બંદૂક જેવું હથિયાર બતાવીને ડરાવી ધમકામને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News