ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનમાં આવેલ દુકાનો, કેંટિંગ, પાર્કિંગના ભાડૂઆતો પાસેથી જગ્યા ખાલી કરાવાઈ: નવા કોન્ટ્રાકટની તજવીજ શરૂ


SHARE













મોરબીના નવા બસ સ્ટેશનમાં આવેલ દુકાનો, કેંટિંગ, પાર્કિંગના ભાડૂઆતો પાસેથી જગ્યા ખાલી કરાવાઈ: નવા કોન્ટ્રાકટની તજવીજ શરૂ

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં બનાવવામાં આવતી દુકાનોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભાડે આપવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની 48 દુકાનો, કેન્ટીન અને પાર્કિંગ ભાડે આપવામાં આવ્યા હતા જોકે, જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને હવે કોન્ટ્રાક્ટ રાખવો નથી તેવું એસટી વિભાગને લેખિતમાં આપી દીધું હતું જેથી કરીને હાલમાં જે ભાડૂઆતો દુકાનોમાં હતા તેની પાસેથી ગતરાત્રિના સમયે એસટી વિભાગ દ્વારા દુકાનોને ખાલી કરાવવામાં આવી છે અને નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને કામ આપવા માટેની અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

મોરબી શહેરના સનાળા રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે એસટી વિભાગ દ્વારા નવા બસ સ્ટેશનનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જેમાં કુલ 48 જેટલી દુકાનો બનાવવામાં આવેલ છે અને આ 48 દુકાનો, કેન્ટીંગ તથા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો જોકે જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા એસટી વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, તેઓ હવે આ કોન્ટ્રાક્ટ આગળ ચાલુ રાખવા માંગતા નથી જેથી કરીને આ દુકાનો, કેંટિંગ અને પાર્કિંગનું નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને કામ આપવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.

તેવામાં એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઈકાલે રાત્રે 12 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં જે 48 દુકાનો, કેન્ટીંગ અને પાર્કિંગ ભાડે આપવામાં આવ્યા હતા તેમાં જે ભાડુંઆતો હતા તેઓને દુકાનો સહિતની મિલકતો ખાલી કરાવી હતી. આ અંગે એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા કોન્ટ્રાક્ટ આગળ ચાલુ રાખવા માંગતા નથી તેવું લેખિતમાં આપવામાં આવ્યું હતું જેથી ગતરાત્રિના તમામ દુકાનો સહિતની ભાડુઆતી જગ્યા ખાલી કરવામાં આવી છે અને આ બસ સ્ટેશનની મિલકતોને ભાડે આપવા માટે નવેસરથી કોન્ટ્રાક્ટ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.






Latest News