રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ


SHARE









મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદના પાણી વહી ગયા હતા જેથી કરીને લોકો મુઝવણમાં મુકાયા હતા આટલું જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં કપાસ-મગફળી સહિતના જે પાક તૈયાર હતા તેના ઉપર આ કમોસમી વરસાદનું પાણી પડવાના લીધે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો જૂટવાઇ જાય તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે.

મોરબી જિલ્લાના મોરબીમાળીયાટંકારા, હળવદ અને વાંકાનેરમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને માળીયા, વાંકાનેર સહિતના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને સવારે આઠેક વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં હોય તેવો વરસાદ હાલમાં શિયાળામાં પડી ગયો હતો જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બોડકી, ઝીંઝુડાનાગડાવાસ, સરવડભાવપરમોટા-નાના ભેલા, તરઘરી અને જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકશાની થયેલ છે અને હાલમાં પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ઉઘાડ છે જો કે, બે દિવસમાં પડેલા વરસાદના લીધે માળીયાના તરઘરી સહિતના ગામમાં ખેડૂતો દ્વારા કપાસ-મગફળી-એરંડા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર કમોસમી વરસાદનું પાણી પડવાના કારણે આ લોકોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ જશે ત્યારે સરકાર તરફથી તેઓને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માગણી લાગણી અને ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News