મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં

મોરબી નજીકના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે રહેતી પરિણીતાએ મચ્છર મારવાનું લીકવીડ પી લીધું હતું જેથી કરીને તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને બાદમાં પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે બીમારી સબબ કંટાળીને તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!

મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી જે.પી. કણસાગરાના જણાવ્યા પ્રમાણે, કીરણબેન સંજયભાઇ અખીયાણી (ઉ.વ.૩૦) રહે.પીપડી તા.જી.મોરબીએ પોતાના ઘરે મચ્છર મારવા માટે વપરાતુ લીકવીડ પી લેતા મોરબીની મંગલમ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.તેમનો લગ્નગાળો ૬ વર્ષનો છે.અને સંતાનમા એક દીકરો તથા એક દીકરી છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ બિમાર રહેતા હોય અને બિમારી સબબ કિરણબેન અખીયાણીએ ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું ખુલેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર શેરી નંબર-૩ માં રહેતી વૈદેહીબેન સંજયભાઈ કલોલા જાતે વાણંદ નામની ૧૮ વર્ષીય યુવતીએ ટાઇલ્સ ક્લીનર પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ કરતાં ખુલ્યુ હતું કે આગામી સમયમાં ધોરણ ૧૨ કોમર્સની પ્રિલી પરીક્ષા આવતી હોય અને તેના ટેન્શનમાં વૈદેહીબેને ઉપરોકત પગલું ભરી લીધું હતું..! જ્યારે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો હિતેશભાઈ રામજીભાઈ ધાણુ નામનો ૩૦ વર્ષનો યુવાન ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે તેને ઝેરી અસર થતાં તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News