મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવેલા યુવાને ફલેટમાંથી નીચે પડીને જીવન ટુકાવ્યુ


SHARE







મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવેલા યુવાને ફલેટમાંથી નીચે પડીને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતો યુવાન છેલ્લા અઢી મહિનાથી જેલમાં હતો અને બે દિવસ પહેલા જ છૂટીને ઘરે આવ્યો હતો દરમિયાન તે ટેન્શનમાં હોય તેને મનોમન લાગી આવતા તેણે ફ્લેટના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સ્મશાનની સામેના ભાગમાં ઓમકાર રેસીડેન્સીના ફ્લેટમાં રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર (41)એ ગઈકાલે સવારે 10:15 વાગ્યા પહેલા કોઈપણ સમયે એપાર્ટમેન્ટમાં ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી હતી જેથી તે યુવાનને શરીરે ગંભીર જાઓ થઈ હોવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ વિજયભાઈ આપાભાઈ ગરચર (38) રહે. ઓમકાર રેસીડેન્સી લીલાપર રોડ મોરબી વાળાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સંજયભાઈ ગરચર છેલ્લા અઢી મહિનાથી જેલમાં હતા અને તા. 11 ના રોજ સાંજે છૂટીને ઘરે આવ્યા હતા ત્યાર બાદ ટેન્શનમાં હોય તેને મનોમન લાગી આવતા રાત્રિના સમયે ઓમકાર રેસીડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડીને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અત્રે ઉલેખનીય છેકે, ગત ડિસેમ્બર માહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે શનાળા રોડે આવેલ સ્કાય વર્લ્ડ સ્પામાં રેડ કરી હતી અને ત્યારે ત્યાં બહારથી મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને સગવડો પૂરી પાડીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું  અને ત્યારે કુલ મળીને 13,000 રૂપિયાના મુદામાલને પોલીસે કબજે કર્યો હતો અને સંજયભાઈ આપાભાઈ ગરચરની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને જેલમાંથી બહાર આવ્યા બાદ તે યુવાને ફ્લેટમાં ઉપરથી નીચે પાડીને આપઘાત કર્યો છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News