લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે NSS ના શિબિરાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE

















મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે NSS ના શિબિરાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એનએસએસ એકમ અંતર્ગત શિબિરાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ અંતિમ વર્ષના સ્વયં સેવકોના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને ત્યારે બાલાસરા બંસીએ એકપાત્ર અભિનય રજૂ કર્યો હતો. ગોગરા મુન્ના, કુંભરવાડિયા નિખિલ તેમજ સાંગા રમેશે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. મકવાણા ઉન્નતિએ સ્વરચિત કવિતા રજૂ કરી હતી. સાંતોલા સુનિલ, નિખિલ, સાંગા  રમેશે સુંદર ભજનો સંગીત સાથે રજૂ કરીને શ્રોતાગણને અભિભૂત કરી દીધા હતા. ત્યારે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. રામભાઈ વારોતરીયાએ સૌ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને એનએસએસ કેમ્પ કરનાર દરેક સ્વયંસેવકને પ્રમાણપત્ર તેમજ ફોલ્ડરફાઈલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અંતિમ વર્ષના જે સ્વયંસેવકોએ કોલેજકાળ દરમિયાન જે ઉત્તમ કાર્ય કર્યું તે  બદલ શાલ ઓઢાડીને અધ્યાપકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની સોનગરા અસ્મિતા અને સનારીયા પ્રગતિએ કર્યું હતું.




Latest News