મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લાના હળવદ-માળીયામાં જેના મકાન-દુકાનો તોડી તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ: કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE











મોરબીના જિલ્લાના હળવદ-માળીયામાં જેના મકાન-દુકાનો તોડી તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ: કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબી જીલ્લામાં હળવદ અને માળીયા શહેરમાં તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને જેના મકાન અને દુકાનો તોડવામાં આવેલ છે તેના રહેવા અને નાના વેપારીઓના ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા શહેર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા દિવસોમાં તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં અખિલ હિન્દ વિચરતી, અર્ધ વિચરતી અને વિમુક્ત જાતિ મહાસંઘ તથા સમસ્ત દેવીપૂજક સમાજ જીન વિસ્તાર હળવદ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યુ હતું કે, માળીયા (મી.) મેઇન રોડ પાસે ચીફ ઓફિસર અને મામલતદાર દ્વારા ગરીબ અને લઘુમતી સમુદાયના લોકોની કાચી પાકી 44 દુકાનો તોડી પાડવામાં આવી છે. જેમાં મોટે ભાગે છૂટક વેપારીઓ, શાકભાજી અને માછલી વેચનાર નાના લોકોનો સમાવેશ થાય છે જેથી કરીને તો વેપાર ધંધો કરી શકે તેના માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ હળવદના જીન વિસ્તારમાં લોકોને સિટી સર્વે સુપ્રીટેન્ડ કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ત્યાં રહેતા લોકોની સહીઓ કરવી લઈને નોટિસ આપવ આપવામાં આવી હતી અને 20 માર્ચના રોજ તેઓનો વિસ્તાર ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી આ નાના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવ્યા પહેલા બુલડોઝરનો ઉપયોગ ન કરવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ હળવદમાં થોડા સમય પહેલા જે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી તે અસરગ્રસ્ત પરિવારોનું યોગ્ય પુનર્વસન કરવા તેમજ ગેરકાયદેસર વિનાશ માટે જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે






Latest News