મોરબીમાં વર્ષોથી ન ઉકેલાયેલા પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સમય માંગ્યો
SHARE
મોરબીમાં વર્ષોથી ન ઉકેલાયેલા પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સમય માંગ્યો
મોરબીના પ્રાણ પ્રશ્નો કે જે વર્ષોથી અણઉકેલ છે. તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે રજૂઆત કરવા માટે તેઓનો સમય માંગ્યો છે.
હાલમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે તેઓને રૂબરૂ મળી ને મોરબીના પ્રાણ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે સમય માંગેલ છે. કેમ કે, મોરબીના પ્રાણ પ્રશ્નો કે જે વર્ષોથી અણઉકેલ છે. તે બબાતે રજૂઆત કરવી છે તેમજ મોરબીમાં ચાલી રહેલ દબાણ હટાવા જુબેશમાં વહાલા દવલાની નીતિ બાબતે, કાયદો અને વ્યવસ્થા, સ્વાસ્થ્યની સબંધિત સેવાઓ બાબતે રજૂઆત કરવાની છે અને મોરબીમાં વિકાસના કામોમાં થઇ રહેલ ગેરરીતિ અને કામોની ધીમી ગતિ વેગેરે બાબતે રજૂઆત કરવામાં આવશે. જેથી મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે.