મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે


SHARE











મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત માટેનો કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમ તા. 26 ને બુધવારે બપોરના 2 વાગ્યે યોજાશે જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી લોકોની મોટી જનમેદની હાજર રહે તેના માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો તથા તંત્ર કામે લાગી ગયું છે.

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા 26 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ મળીને અંદાજે 1000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ભાજપના સંગઠન દ્વારા ધારાસભ્યોની હાજરીમાં જુદા જુદા મંડલોની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સાથો સાથ વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવેલ છે. વધુમાં આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા. 26 ના રોજ બપોરે 2:00 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. જોકે એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમયે બપોરે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો છે જેથી કાર્યક્રમમાં જનમેદની એકત્રી કરવા માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો કામે લાગી છે અને તો બીજી બાજુ કાર્યકર સારી રીતે સંપન્ન થાય તેના માટે થઈને કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News