મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ


SHARE













મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ

આયુષ મંત્રાલય- ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક તાજેતરમાં કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીએ જિલ્લા પંચાયતની મોરબી આયુર્વેદ શાખા હેઠળ આવતા આયુર્વેદ, હોમિયોપેથી દવાખાનાઓ તથા મેડીકલ ઓફિસર દ્વારા કરવામા આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. મોરબી જિલ્લામાં હાલ ૧૧ આયુર્વેદ દવાખાના અને ૬ હોમીયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. આ બેઠકમાં કલેકટરએ આયુષનો વ્યાપ-વિસ્તાર વધારવા વિસ્તૃત માહિતી તથા સૂચના આપી હતી. આ પ્રસંગે આયુર્વેદ વિભાગ દ્વારા તૈયાર કરેલ આયુષ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું તથા નેશનલ આયુષ મિશન દ્રારા ચાલતી વિવિધ પ્રવ્રુતિ તથા ખર્ચ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવિયા તથા જિલ્લાના અન્ય અધિકારીઓ તથા મેડીકલ ઓફીસરઓ હાજર રહ્યા હતા.




Latest News