મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીમાં સમાન સિવિલ કોડ સમિતિએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી


SHARE













મોરબી કલેક્ટર કચેરીમાં સમાન સિવિલ કોડ સમિતિએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકોરાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં UCC કમિટીના સભ્ય સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટ આર.સી. કોડેકરએ ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણી જરૂરી ચર્ચાઓ કરી હતી. વધુમાં સી.એલ.મીણાએ જણાવ્યું હતું કેરાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે જેના ભાગરૂપે આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સૌને તેમના અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો.

આગામી તા. 15/4/25 સુધી રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસકર્મયોગી ભવનબ્લોક નં.૧વિભાગ એછઠ્ઠો માળસેક્ટર ૧૦ એગાંધીનગરપિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે તેવું પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકોએ લગ્નછૂટાછેડાભરણપોષણબાળકો સહિત મહિલા અધિકારોમિલકતના અધિકારોધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓલીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારોનાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ પાસે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કેસમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતા એ કાયદો વર્તમાન સમયની સાથે કેવી રીતે સંતુલન સાધી શકે તે માટેનો ઉમદા પ્રયાસ છે. સમાનતામહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાકલેકટર કે.બી. ઝવેરીમોરબીના કમિશનર સ્વપ્નીલ ખરે,ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓએ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓસામાજિક સંસ્થાઓના અગ્રણીઓશિક્ષણવિદોબાર એસો.ના પ્રતિનિધિઓધારાશાસ્ત્રીઓ તેમજ સામાજિક કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા.




Latest News