મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી 602 જમીન કૌભાંડમાં વૃદ્ધને ન્યાયા અપાવવા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ હવે મેદાનમાં: મુખ્યમંત્રી-ગૃહમંત્રી સુધી તટસ્થ-તાત્કાલીક તપાસની કરી માંગ


SHARE













મોરબી 602 જમીન કૌભાંડમાં વૃદ્ધને ન્યાયા અપાવવા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ હવે મેદાનમાં: મુખ્યમંત્રી-ગૃહમંત્રી સુધી તટસ્થ-તાત્કાલીક તપાસની કરી માંગ

મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 માં થયેલ કૌભાંડની ફરિયાદ લેવામાં આવી તેની સામે ફરિયાદીને અસંતોષ હતો અને રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, જમીનના મૂળ માલિક ભોગ બનેલ ભીમજીભાઈ બેચરભાઈ નકુમે ન્યાય માટે મોરબી જિલ્લા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન જયદીપ પાંચોટીયા (એડવોકેટ)નો સંપર્ક કર્યો હતો જેથી કરીને ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભઈ સંઘવી અને ડીજીપી ને લેખિતમાં રજૂઆત કરીને આ કૌભાંડની તટસ્થ અને તાત્કાલીક ધોરણે તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબી જિલ્લા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન જયદીપ પાંચોટીયાએ જે લેખિત રજૂઆત કરી છે તેમાં લખ્યું છે કે, ભીમજીભાઈ બેચરભાઈ નકુમની વડીલો પાર્જિત જમીન વજેપર ગામના સર્વે નંબર 602 માં આવેલ છે અને તે કરોડોની જમીનમાં તલાટી મંત્રી સમક્ષ બોગસ અને ખોટા પંચ સાથે ખોટા વ્યકિત ઉભા કરીને તેના ફરિયાદીના પિતા જેનું અવસાન થયેલ છે તેના નામનો બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવ્યો હતો અને બોગસ વારસાઈ આંબો, ખોટા મરણના દાખલા બનાવીને ફરિયાદીની માલીકી અને કબ્જા ભોગવટા વાળી ખેતીની જમીનમાં શાંતાબેન વા/ઓ મનજીભાઈ પરમારનું નામ દાખલ કરવા વારસાઈ નોંધ કરાવી હતી જે અંગેની જાણ ફરિયાદીને થતાની સાથે જ ભોગ બનનાર દ્વારા તાત્કાલીકના ધોરણે ખોટી વારસાઈ નોંધ સામે તકરાર મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ લેવામાં આવી હતી

ત્યારબાદ આ કેસમાં મોરબીના પ્રાંત અધિકારી દ્વારા ભોગ બનનારના તમામ આધાર-પુરાવાઓને ધ્યાને લેવાને બદલે બોગસ અને બનાવટી વ્યક્તિની વારસાઈ નોંધ મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને તેના આધારે ×૧૨, ૮-અ તે શાંતાબેનના નામનો મામલતદાર દ્વારા શરૂ કરી આપવામાં આવેલ છે અને આવા બોગસ ૭×૧૨, ૮-અ નો આધાર લઈ સાગરભાઈ અંબારામભાઈ ફુલતરીયાએ પોતાના નામનો સબરજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ કરાવી લીધેલ છે. જેથી કરીને બોગસ વારસાઈ, પ્રાંત અધિકારીના હુકમ અને દસ્તાવેજની વેચાણ નોંધ સ્થગિત કરવાનો હુકમમોરબીના કલેકટર દ્વારા આપવામાં આવ્યો હતો આટલું જ નહીં કલેકટર દ્વારા આ કૌભાંડ  અંગેનો તટસ્થ અને વાસ્તવિક રીપોર્ટ સરકારમાં સોંપવામાં આવેલ છે.

વધુમાં લખ્યું છે કે, ભોગ બનેલા ફરિયાદી દ્વારા જમીન કૌભાંડ અંગે તમામ આરોપીઓના નામજોગ મોરબીના એસપીને ફરીયાદ આપવામાં આવેલ હતી પંરતુ મોરબી પોલીસ દ્વારા કોઈપણ જાતના કાયદાકીય પગલા લેવામાં આવેલ ન હતા અને જે ડીવાયએસપી પાસે અરજીની તપાસ હતી તેની પાસેથી લઈને અન્ય અધિકારીને આપી દેવામાં આવી હતી જેથી ફરિયાદીએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરેલ હતી માટે ફરિયાદ તો લેવામાં આવેલ છે પરંતુ આરોપીઓનો બચાવ થાય તેવી ફરીયાદ લેવામાં આવેલ છે. જેથી ફરીયાદ સામે પણ ફરિયાદી અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને એસપીની ભૂમિક શંકાસ્પદ હોવાનો ગંભીર આક્ષેપ કરેલ છે. અને ડીજીપીની દેખરેખ હેઠળ આ કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. તેમજ આ ગુનાના કામે હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં આવેલ નથી. જેથી શંકા ઉત્પન્ન થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી કરીને આ કૌભાંડની તપાસ એસએમસી ને સોંપવાનો હુકમ કરવામાં આવે તેવી માંગ કરીને આ જમીન કૌભાંડમાં સંડોવાયેલ ઉચ્ચકક્ષાના અધિકારીઓ, દલાલો અને અસામજીક તત્વોની મિલીભગત બહાર લાવવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. 






Latest News